Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મહારાષ્ટ્રમા હિંસા મામલે જીજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

-બંને વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ :અક્ષય બિક્કડ અને આનંદ ડોન્ડના પુનાના ડેક્કન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

 

મુંબઈ :મહારાષ્ટ્રમા ફાટી નીકળેલી હિંસા મામલે ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે મંગળવારે સાંજે બે યુવા અક્ષય બિક્કડ અને આનંદ ડોન્ડના પુનાના ડેક્કન પોલીસ સ્ટેશનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયૂના વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદકર્તાએ બંન્ને નેતાઓ પર આક્ષેપ કર્યો હતો કે બંનેના ભાષણ બાદ મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી.

  મહારાષ્ટ્રમાં દલિત અને મરાઠા સમુદાય વચ્ચે 200 વર્ષ જુના યુદ્ધને લઈને હિંસા ભડકી હતી સમગ્ર વિવાદ 1 જાન્યુઆરી 1818ના રોજ અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવમાં ભીમા નદી નજીક ઉત્તર-પૂર્વમાં યુદ્ધ ખેલાયું હતું તેને લઈને છે. લડાઈમાં પેશવા સામે અંગ્રેજો તરફથી મહાર જાતીના સૈનિકોએ ભાગ લીધો હતો. અંગ્રેજો તરફથી 500 યોદ્ધાઓ જેમાં 450 મહાર હતાં, જ્યારે સામા પક્ષે પેશવા બાજીરાવ બીજાના 28,000 પેશવા સૈનિકો હતાં. યુદ્ધમાં માત્ર 500 મહાર સૈનિકોએ 28,000ની મરાઠા ફોજને પરાજય આપ્યો હતો

   ફરિયાદકર્તાઓના જણાવ્યા મુજબ ભાષણ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ એક ખાસ વર્ગને સડક પર ઉતરી વિરોધ કરવા ઉશ્કેર્યા હતાં, ત્યાર બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને ધીમે ધીમે ભીડે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

  કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે. આગામી 14 એપ્રિલે નાગપુરમાં જઈ આરએસએસ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાશે પરિષદમાં ડૉ, પ્રકાશ આંબેડકર, નિવૃત્ત જ્જ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન સહિત હાજર રહ્યાં હતાં.

   દલિત સમુદાયના કાર્યક્રમમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ઉમર ખાલિદ, પ્રકાશ આંબેડકર અને રાધિકા વેમુલાએ ભાગ લીધો હતો. એવું મનાઈ રહ્યું છે કે દલિત અને મરાઢા સમુદાયના લોકો સામસામે આવી ગયાં હતાં. ત્યાર બાદ ઘટનાએ હિંસકરૂપ ધારણ કર્યું હતું અને દેશની આર્થિક રાજધાની મુંબઈ અને પુણે ભડકે બળવા લાગ્યાં હતાં. અનેક ઠેકાણે આગ ચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં ભડકેલી આગ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ લાગી હતી. મુંબઈના કુર્લા, મુલુંડ, ચેંમ્બુર અને થાણેમાં સરકારી બસો પર પથ્થરમારો કરી તેને આગના હવાલે કરવામાં આવી હતી. ઠેર ઠેર રસ્તા રોકવાની ઘટના બની હતી. શાળા-કોલેજો તત્કાળ બંધ કરી દેવામાં આવી હતી.

(1:11 am IST)