Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ફરી ગેહલોત સરકાર કરશે કેબિનેટ પુનર્ગઠન

૧૯ લોકોના જવા પર સરકાર બચાવનાર લોકોને ભૂલી શકાય નહીં : સીએમ

જયપુર તા. ૧ : મંત્રીમંડળ પુનર્ગઠનમાંમંત્રી પદ મળવાથી કોંગ્રેસ, બીએસપીમાંથી આવેલા વિધાયક અને સરકારનો સાથ આપી રહેલા નિર્દલીય વિધાયકોનેઅસંતોષની આવી રહેલી ખબરો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે ૧૯ વિધાયકોના જવા પર જેનેસરકાર બચાવીતેને ભૂલી શકાય નહીં. એક વાર ફરી આલાકમાનસાથે ચર્ચા કરી કેબિનેટ પુનર્ગઠન કરશે.

મુખ્યમંત્રીના આ નિવેદનને પ્રત્યક્ષ રીતે સચિન પાયલટ જૂથ પર હુમલાના રૂપેના વિધાયક તેમજ મંત્રી પણ હાજર હતા.

જોકે મુખ્યમંત્રીએ જયારેઆ વાત કહી એ દરમ્યાનબેઠકમાં પાયલટ જૂથના વિધાયક તેમજ મંત્રી પણ હાજર હતા. જોકે મુખ્યમંત્રીએ પીસીસી મુખ્યાલયમાં પ્રદેશ પ્રભારીઅજયમાકન અને પ્રદેશાધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાની સાથે ૧૨ ડિસેમ્બરે દિલ્હીમાં થનારી રેલીની તૈયારીઓઅંગે મંત્રી-વિધાયકો અને પ્રદેશ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે મુખ્યમંત્રીના વકતવ્યથીમંત્રી નહીં બનવાથી નિરાશ થયેલા વિધાયકોનેપણ બળ મળશે. તેઓએકહ્યું કે અનેક ચહેરા છે જેને આ વખતે મંત્રીમંડળ પુનર્ગઠનમાંમોકો મળશે નહીં. તેને લોકોએસરકાર બચાવામાં સહયોગ આપ્યો નહી હોય તો સરકાર બચાવી શકાશે નહીં.

(3:30 pm IST)