Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના વાયરસ લોકોના મગજમાં તેમના નાક વાટે પ્રવેશી શકે

બર્લિન,તા.૧:  એક નવા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ લોકોના મગજમાં તેમના નાક વાટે પ્રવેશી શકે છે. સ્ટડીના તારણોની મદદથી હવે કોવિડ-૧૯ રોગ દરમિયાન દર્દીઓમાં 'ન્યુરોલોજીકલ'લક્ષણો કેમ ઉભરી રહ્યા છે અને તેમની સારવાર કેવી રીતે કરવી તે પણ જાણી શકાય છે.

'નેચર ન્યુરોસાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, સાર્સ-સીઓવી -૨ શ્વસનતંત્રને જ નહીં પરંતુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે જેમ કે વિવિધ 'ન્યુરોલોજીકલ'લક્ષણો જેવા કે સુંદ્યવા અને સ્વાદ પારખવાની શકિતમાં ઘટાડો થવો, માંથાનો દુખાવો, થાક અને ચક્કર આવવા વગેરે જોવા મળે છે.

તેમ છતાં, તાજેતરના સ્ટડીમાં મગજમાં વાયરલ 'આરએનએ' અને 'સેરેબ્રોસ્પાઇનલ ફ્લૂઇડ' ની હાજરીનો ઉલ્લેખ કરાયો છે, તે વાયરસ કયાંથી પ્રવેશ કરે છે અને તે કેવી રીતે ફેલાય છે તે સ્પષ્ટ નથી.

જર્મનીની ચારિટે યુનિવર્સિટીના સંશોધકોએ શ્વસન માર્ગ (ગળાના ઉપરના ભાગથી નાક સુધી) નું પરીક્ષણ કર્યું હતું. આ સ્ટડીમાં કોવિડ-૧૯દ્મક અવસાન પામેલા ૩૩ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં ૧૧ મહિલા અને ૨૨ પુરુષ હતા.

તેમણે જણાવ્યું કે મૃત્યુ પામનારાઓની સરેરાશ ઉંમર ૭૧.૬ વર્ષ હતી. બીજી તરફ, કોવિડ -૧૯ ના લક્ષણો જણાવાથી લઈને મૃત્યુ સુધીનો સરેરાશ સમય ૩૧ દિવસ રહ્યો છે. સંશોધનકારો કહે છે કે તેમને મગજ અને શ્વસન માર્ગમાં સાર્સ-સીઓવી-૨ આરએનએ (વાયરસનું જેનેટિક મેટેરિયલ) અને પ્રોટીન મળી આવ્યા છે.

(9:32 am IST)