Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સંક્રમિત વ્યકિતમાંથી કોરોનાના એક હજાર વાઇરસ અન્યોને ચોંટી શકે છે

લંડન, તા. ૧: વૈજ્ઞાાનિકોએ ઓસ્ટ્રિયાના મહત્વના કોવિડ-૧૯ ફેલાવતા કલ્સટરમાંથી ૭૫૦ નમુના લઇ તેનો અભ્યાસ કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે આશરે એક હજાર ચેપગ્રસ્ત વાઇરસ એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં પ્રવેશ કરે છે. અભ્યાસ અનુસાર, આ પ્રમાણ એચઆઇવી અને ગેસ્ટ્રોએન્ટીટરીઝનું કારણ બનતા કોરોનોવાઇરસ જેવા અન્ય વાઇરસ કરતાં ખુબ વધુ સંખ્યામાં હોય છે.

'તેમ છતાં અમને કેટલીક વખતે એવું પણ જાણવા મળ્યું હતું કે ઓછા વાઇરસ કણો સાથેનો સંક્રમિીત દર્દી કોઇના સંપર્કમાં આવે તો પણ સંક્રમિત બની શકે છે'એમ અભ્યાસના મુખ્ય લેખક અને ઓસ્ટ્રિયન એકેડમી ઓફ સાયન્સના એન્ડ્રેસ બર્ગથાલેરે કહ્યું હતું.'અમને શંકા છે કે સુરક્ષાના પગલાં,ટ્રાન્સમિશન રૂટ આૃથવા ઇમ્યુન સીસ્ટમની એપ્લીકેશન જેવા ધોરણો પણ ખુબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે'એમ બર્ગથાલરે કહ્યું હતું.

સંશોધકો માને છે કે મોં અને નાકની સુરક્ષા, ફિઝીકલ ડીસ્ટન્સ અને યોગ્ય ઇનડોર હવાનું ભ્રમણ જેવા પગલાંનું મિશ્રણ કરીને સંક્રમિત વ્યકિતના વાઇરસના ભારને ઘટાડી શકાય છે. કોરોનાને ફલાવતો અટકાવવામાં આની પણ મહત્ત્।વની ભૂમિકા હોય છે.૭૬ સંક્રમિતોનો અભ્યાસ કરવા વૈજ્ઞાાનિકોએ સારસ-કોવ-૨ સર્જન કરવા મ્યુટેશનનો ઉપયોગ કરાયો હતો.

(9:32 am IST)