Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

લોકો તમારાથી ડરે છે,બોલવાની આઝાદી શા માટે નહીં ? નિર્મલાજીની ઉપસ્થિતિમાં રાહુલ બજાજનું નિર્ભીક મંતવ્ય

નવી દિલ્હી : ઇટીના એવોર્ડ ફંક્શનમાં આજે જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે યુપીએ સરકારમાં કોઈપણને ગાળ પણ આપી શકાતી હતી,જયારે આજે તમારી વિરુદ્ધ બોલતા પણ લોકો ડરે છે,તમે કામ કરી રહ્યાં છો તો પછી લોકોને બોલવાની આઝાદી શા માટે નહીં ?

   તેમણે કહેલ કે તમે અનિશ્ચિતતાનું વાતવરણ સર્જી રહ્યા છો,જો ડર ગયા વો મર ગયા,રાહુલ બજાજના આ સ્પષ્ટ અને આકરા ઉચ્ચારણો દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત હતા તેમ ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ જણાવે છે

(12:00 am IST)