Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બનશે તો PoK અને સિંધ હશે ભારતનો હિસ્સો: નિત્યાનંદ રાયનું મોટું બયાન

 

પટના : પટનામાં યોજાયેલ  બેટી બચાવો બેટી પઢાઓ સમ્માન કાર્યક્રમ દરમિયાન બિહાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, જે ભારત માતા કી જય કહી શકે ભારત તેને સ્વીકાર કરી શકે નહી. તેમણે તેમ કહીને સંકેત આપ્યો છે કે જો નરેન્દ્ર મોદી બીજીએકવાર વડાપ્રધાન બને છે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નહી રહે. સાથે સિંઘ પણ ભારતનો હિસ્સો બનશે

  શનિવારે પટનામાં ભાજપની રતફથી બેટી બચાવો બેટી પઢાઓ સમ્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યની પ્રતિભાશાળી યુવતીઓને સન્માનિત કરવાનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે અભિયાનનાં રાષ્ટ્રીય સંયોજક રાજેન્દ્ર ફડકે પણ પટના આવ્યા હતા. ઉપરાંત ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાય, મંત્રી મંગલ પાન્ડેય, મંત્રી કૃષ્ણકુમાર ઋષી પણ હાજર હતા

(10:36 pm IST)