Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઉત્તરપ્રદેશમાં આદિત્યનાથ યોગી સરકારે ઓનલાઈન જાણકારી ન આપનાર ૧૮ મદ્રેસાની મંજૂરી રદ્દ કરી : આકરા પગલા

મદ્રેસા દ્વારા ઓનલાઈન માહિતી અપાવવાના મુખ્ય કારણમાં મદ્રેસાઓ મદ્રેસા બોર્ડ સાથે સંલગ્ન થવા માંગતા નથી. મુઝફફરનગર જિલ્લામાં ૧૩૪ મદ્રેસામાંથી ૧૮ મદ્રેસાની મંજૂરી રદ્દ કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ મદ્રેસા બોર્ડે પોતાનું પોર્ટલ બનાવ્યુ છે. તમામ કોલેજની જેમ મદ્રેસા પણ ઓનલાઈન થાય તેવુ સરકાર ઈચ્છે છે. મુઝફફરનગરમાં અત્યાર સુધી ૧૩૪ પૈકી ૧૧૬ મદ્રેસાઓએ ઓનલાઈન જાણકારી આપી છે. આ મદ્રેસાઓએ મંજૂરી મેળવવા નવેસરથી આવેદન ભરવું પડશે.

 

(11:54 am IST)