Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રાષ્ટ્રગીત વેળાય જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલ ઉભા ન થયા : અહેવાલ

હાલમાં તબિયત સારી રહેતી નથી

નવી દિલ્હી,તા. ૧ : જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલને આરોગ્યના કારણોસર રાષ્ટ્રગીતવેળા બેઠા રહેવાની મંજુરી આપવામાં આવી હતી. રાષ્ટ્રગીતવેળા એન્જેલા બેઠા રહેતા આને લઈને ચર્ચાઓ રહી હતી. જોકે, મોડેથી આને લઈને સ્પષ્ટતા કરાઈ હતી. તાજેતરમાં જ જર્મન સરકારે ભારતને અપીલ કરી હતી કે માર્કેલને મેડિકલ કારણોથી રાષ્ટ્રગાન વખતે ઉભા રહેવામાંથી છુટ આપવામાં આવે. અગાઉ કેટલાક કાર્યક્રમોમાં માર્કેલને સપોર્ટ વગર ઉભા રહેવામાં ઘણુ મુશ્કેલી પડતી હોય તે જોવા મળ્યું હતું. તેને લઈ કાર્યાલયે તેને છુટ આપવાની વિનંતી કરી છે.

(8:02 pm IST)