Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

જમ્મુ -કાશ્મીર ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહર અને તેના ભાઈ અજિત પરિહારની આતંકીઓએ હત્યા કરી : આતંકી હુમલો થતા કિશતવાડમાં કરફ્યુ : જબ્બર તલાશી ઓપરેશન ચાલુ : અજાણ્યા હુમલાખોર ગોળીઓ વરસાવી નાસી છૂટ્યો

જમ્મુ: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં આતંકીઓએ ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેના ભાઈ અજિત પરિહારની ગોળી મારી હત્યા કરાઈ છે હાલમાં પોલીસે આ મામલે ચુપ્પી સાધી છે કે આ આતંકી હુમલો છે કે નહીં

   જાણવા મળતી વિગત મુજબ અજાણ્યા હુમલાખોરે અનિલ પરિહાર પર અંધાધૂંધ ગોળીઓ વરસાવતા તેનું મોત નીપજ્યું હતું ઘટના સ્થળે હાજર તેના ભાઈ અજિત પરિહારને પણ ગોળી લાગી હતી ગોળી લાગવાને કારણે તે ગંભીર રીતે ઘાયલ થતા કેટલાક સમય બાદ તેનું પણ મોત નીપજ્યું હતું

   હુમલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને હત્યાના મામલાની તપાસ હાથ ધરી છે હજુ સુધી હુમલાખોરની ઓળખ થઇ નથી આ હત્યાને પગલે કિશ્તવાડમાં તણાવનો માહોલ બન્યો છે પ્રદેશ ભાજપના મહાસચિવ અશોક કૌલે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને બે ભાજપાના કાર્યકર્તાઓની હત્યા કરી છે

(11:01 pm IST)