Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વ્યકિતનાં મૃત્યુ સાથે પ્રાઇવસીનો અધિકાર પુરો નથી થઇ જતો : હાઇકોર્ટ

આર.ટી.આઇ.ના કાયદા હેઠળ મૃતકની ખાનગી ચેટ અને ફોટોગ્રાફસ જાહેર કરી શકાતા નથી

કોલકાતા,તા. ૧:  કોલકાતા હાઈકોર્ટે પ્રાઈવસીના અધિકારને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. એક મૃતકની -ાઈવેટ સ્પેસનો બચાવ કરતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર વ્યકિતના મૃત્યુ સાથે સમાપ્ત થતો નથી અને ય્વ્ત્ના કાયદા હેઠળ મૃતકની ખાનગી ચેટ અને ફોટોગ્રાફ્સ જાહેર કરી શકાતા નથી. આજના ડિજિટલ યુગમાં આ ચુકાદો ઘણી બધી રીતે મહત્વનો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ હાઈકોર્ટે બંગાળ પોલીસને રશિકા જૈન દ્વારા તેના મૃત્યુ અગાઉ તેના મિત્ર સાથે શેર કરેલા વોટ્સએપ સંદેશાઓ અને તસવીરોને ય્વ્ત્ એકટ હેઠળ ઁખાનગી માહિતીઁ તરીકે ગણવાનો નિર્દેશ આપ્યો હતો.  ઉલ્લેખનીય છે  કે ગયા વર્ષે જ રશિકાનું શંકાસ્પદ રીતે મોત થયું હતું.

કઈ રીતે થયું હતું અવસાન?

રશિકા જૈનના લગ્ન ૨૦૨૦ માં થયા હતા, પરંતુ એક વર્ષ પછી રહસ્યમય સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું. જેના કારણે બાદમાં તેમના માતા-પિતા અને સાસરિયાઓએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા.

તપાસ રિપોર્ટમાં પોલીસે લગ્ન પહેલા રસિકા અને તેના મિત્ર વચ્ચે વોટ્સએપ ચેટનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ, તેના સાસરિયાઓએ ય્વ્ત્ અરજી દાખલ કરીને વાતચીતની વિગતો માંગી હતી. જો કે, આરટીઆઈ એકટ હેઠળ, પોલીસે ૨૦૨૨ માં તેમની સાથે આ માહિતી શેર કરી હતી, ત્યારબાદ રસિકાના માતાપિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

શું છે આખો મામલો?

હવે આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, ૅઅધિનિયમ એ વાતની પુષ્ટિ કરે છે કે વ્યકિતની -ાઈવેટ સ્પેસની સુરક્ષા અત્યંત મહત્વની છે અને તે -ાઈવેટ સ્પેસમાંથી નીકળતી કોઈપણ માહિતીનો ખુલાસો સ્વૈચ્છિક અને બળજબરી વગર થયો હોવો જોઈએ.ૅ મૃતકનું સન્માન કરવાની જવાબદારીની જાણ  કરતાં, કોર્ટે અવલોકન કર્યું હતું કે જવાબદારી નૈતિક છે કારણ કે મૃતક તેની પોતાની ખાનગી સ્પેસમાં આવી કોઈપણ ઘૂસણખોરી સામે પોતાનો બચાવ કરવા આવી નથી શકવાનો.

ડિજિટલાઇઝેશનનાં યુગમાં મહત્વનો ચુકાદો

આ ચુકાદો હાલનાં ડિજિટલ યુગમાં ઘણો મહત્વનો સાબિત થાય છે કારણ કે વ્યકિતના અવસાન સાથે ઘણો બધો ડેટા ડિજિટલી અવેલેબલ હોય છે જે તેની -પ્રાઈવસીનું હનન કરવા માટે પૂરતો હોય છે. વ્યકિત પોતે તો બચાવ કરવા આવી નથી શકતો પણ ભારત જેવા દેશમાં તેનો -પ્રાઈવસીનો અધિકાર મૃત્યુ પછી પણ જળવાય છે.

(4:57 pm IST)