Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કેરળ પુર હોનારતમાં ૬૦ ને જીવતદાન આપનાર નાવિકનું માર્ગ અકસ્માતમા મૃત્યુ

કેરળમાં થયેલ પૂર હોનારતમાં ઓછામાં ઓછા ૬૦ લોકોને બચાવનાર માછીમાર ર૪ વર્ષીય જીનીશ જેરોન નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. અહેવાલ પ્રમાણે બાઇક સ્લીપ થવાના કારણે સડક પર પડી જવાથી જીનીશ ઉપર વાહન ફરી  વળતા મોત થયેલ. અને એમ્બ્યુલન્સને આવવામાં પણ ૩૦ મીનીટનો વિલંબ થયેલ. જીનીશના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૃર સહીત ઘણા લોકો ઉપસ્થિત રહેલા.

(12:35 am IST)