Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાજકપુરના પત્‍ની કૃષ્‍ણાનું ૮૭ વર્ષની ઉમરે અવસાન

મુંબઇ તા. ૧ :.. રાજકપુરના ધર્મપત્‍ની કૃષ્‍ણા રાજકપુરનું ૮૭ વર્ષની ઉમરે અવસાન થયું છે. આજે સવારે ૪ વાગ્‍યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

ઘણા વર્ષોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. કૃષ્‍ણા રાજકપુર માતા હતી રણધીર, ઋષિકપુર, રાજીવ, રીમા, રીતુની તો કરીના, રણબીર, રિધ્‍ધિમા કપુરના દાદી હતાં. ૮૭ વર્ષની ઉંમરે પણ તેઓ એકટીવ હતાં. તેમને ફેમીલી પાર્ટી અને મુવી પ્રીમીયરમાં જોવાતાં.

૧૯૮૮ માં રાજકપુરના નિધન બાદ તેમણે સમગ્ર પરિવારને એક રાખ્‍યોઃ પ પુત્રોની જવાબદારી લીધી.

(12:15 pm IST)