Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાજકોટમાં નરેન્દ્રભાઈ મોદીનું અદકેરું સ્વાગત : સભામાં ખુબ ખીલ્યા : જંગી જનમેદની

સ્વત્રંતતા સંગ્રામમાં ગાંધીજી અને સરદારના યોગદાનને યાદ કરીને ખરી અંજલિ આપવા આહવાન કર્યું

રાજકોટ ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા બપોર બાદ સાંજે 5-30 વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા એરપોર્ટ પર મોદીનું અદકેરું સ્વાગત કરાયું હતું ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલ સભામાં જંગી જનમેદનીને સંભોધતા મોદી ખુબ ખીલ્યા હતા અને સ્વતંત્રતા સંગ્રામમાં મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના યોગદાનને યાદ કરીને આ બંનેને સાચી અંજલિ આપવા સરકાર કટિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે અમારી સરકાર સરદાર સાહેબને  તેઓની ઊંચાઈ મુજબ સ્ટેચ્યુ બનાવે છે ત્યારે કેટલાકને માત્ર ચૂંટણીઓ જ દેખાઈ છે પરંતુ અમો તેના કદ મુજબ તેનું સ્ટેચ્યુ બનાવી છીએ .

(12:00 am IST)