Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોદી હત્યાના કહેવાતા કાવત્રાની તપાસ સીબીઆઇને કેમ સોંપતા નથી! :પવાર કોંગ્રેસનો સણસણતો સવાલ

મુંબઇ : શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસે શુક્રવારે પુછયુ હતું કે વડાપ્રધાનની હત્યાની માઓવાદી દ્વારા કહેવાતી સાજીસ મામલામાં જો પોલીસને સબુત મળી ગયા છે તો આ મામલામાં સીબીઆઇ કેમ તપાસ નથી કરતી.

પક્ષના પ્રવકતા નવાબ મલિકે કહયું કે પોલીસનો દાવો છે કે વડાપ્રધાનની હત્યાનું કાવત્રુ રચાયું હતું. જો તમારી પાસે તેની જાણકારી હતી તો તમે તેને ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ અથવા સીબીઆઇને કેમ ન આપી?

તેમણે કહયું કે પોલીસે એમ પણ કહયું કે માઓવાદી ભાજપા સરકાર ને પાડવા માંગે છે. આનો મતલબ પોલીસ એ જ કહી રહી છે જે સરકાર તેની પાસે કહેવડાવે છે.(૧.૮)

(3:33 pm IST)