Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાહુલ ગાંધીની કૈલાસ માનસરોવર યાત્રા મુદ્દે રાજકારણ શરૂ ; ભાજપે ચાઈનીઝ ગાંધી કહ્યા ;કોંગ્રેસે શિવભક્ત ગણાવ્યા

શું હવે મહાદેવના દર્શન માટે પણ નરેન્દ્ર મોદીની પરવાગી લેવી પડશે?

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કૈલાસ માનસસરોવર યાત્રાને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. બીજેપીએ ચીનના રસ્તે કૈલાસ માનસરોવર જઈ રહેલા કોંગ્રેસ અધ્યક્ષને ‘ચાઈનીઝ ગાંધી' કહ્યા તો કોંગ્રેસ પણ સામે જવાબ આપ્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને શિવભક્ત ગણાવતા સવાલ કર્યો કે શું હવે મહાદેવના દર્શન માટે પણ નરેન્દ્ર મોદીની પરવાગી લેવી પડશે?

(12:00 am IST)