Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કેરળમાં કોરોનાના કહેર વચ્ચે દેશમાં નવા 43.189 કેસ નોંધાયા : 54.246 દર્દીઓ રિકવર થયા : વધુ 782 લોકોના મોત : કુલ મૃત્યુઆંક ચાર લાખને પાર પહોંચ્યો :એક્ટીવ કેસ ઘટીને 5.05.623 થયા : કુલ કેસની સંખ્યા 3.04.53.937 થઇ

સૌથી વધુ કેરળમાં 12.868 કેસ,મહારાષ્ટ્રમા 9195 કેસ, તામિલનાડુમાં 4481 કેસ, આંધ્રપ્રદેશમાં 3841 કેસ,કર્ણાટકમાં 3203 કેસ,ઓરિસ્સામાં 3087 કેસ,પશ્ચિમ બંગાળમાં 1501 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 43.189 કેસ નોંધાયા છે. જ્યારે 54.246 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.189 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 782 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.00.271 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.189 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.04.53.937 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 5.05.623 થઇ છે છેલ્લા 24 કલાકમાં 54.246 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,95.36.087  લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.868 કેસ,મહારાષ્ટ્રમા 9195 કેસ, તામિલનાડુમાં 4481 કેસ, આંધ્રપ્રદેશમાં 3841 કેસ,કર્ણાટકમાં 3203 કેસ,ઓરિસ્સામાં 3087 કેસ,પશ્ચિમ બંગાળમાં 1501 કેસ નોંધાયા છે

(1:06 am IST)