Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

એક વ્યકિતએ રીત-રિવાજ મુજબ કિન્નર સાથે કર્યા લગ્ન

પરિવારના સભ્યોએ પણ કિન્નર બહુને ખુલ્લા મનથી અપવાની છે

નાસિક,તા. ૧: મહારાષ્ટ્રના નાસિકમાં ૧૫ દિવસ પહેલા થયેલાં લગ્ન અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. જિલ્લાના મનમાડ વિસ્તારમાં એક યુવકે સંપૂર્ણ રીતરિવાજ સાથે એક કિન્નર સાથે લગ્ન કર્યા છે. તેના પરિવારના સભ્યોએ પણ કિન્નર બહુને ખુલ્લા મનથી અપનાવી છે. ૧૫ દિવસ પછી પણ લોકો દરરોજ કિન્નર પુત્રવધૂને મળવા તેના ઘરે આવી રહ્યા છે.

નાસિકના મનમાડમાં રહેતા સંજય ઝાલ્ટેએ સમાજ અને લોકોની પરવા કર્યા વિના ૧૫ જૂને લક્ષ્મી નામના એક કિન્નર ને પોતાની પત્ની બનાવી છે. આ લગ્ન મંદિરમાં કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન થયાં હતાં. આ લગ્નમાં વધુ લોકો જોડાયા ન હતા, પરંતુ અહીં આવેલા તમામ લોકોએ આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. સંજય કહે છે કે આ પ્રકારના લગ્નથી તે સમાજને સંદેશ આપવા માંગે છે.

સંજય ઝાલ્ટેની ઓળખ કિન્નર શ્નશિવલક્ષ્મીલૃથી ટિકટોક દ્વારા થઈ હતી. થોડા દિવસોમાં જ ઓળખ પ્રેમમાં ફેરવાઈ અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. સંજયે તેની ઇચ્છા તેની માતાને જણાવી અને પછી તેની માતા સંબંધ સાથે શિવલક્ષ્મી પાસે ગઈ. તેમની સ્વીકૃતિ પછી, બંનેના લગ્ન મનમાડના પ્રાચીન શિવ મંદિરમાં થયા. શિવલક્ષ્મીના કિન્નર મિત્રો પણ આ લગ્નમાં સામેલ થયા હતા.

આ લગ્ન અંગે સંજય ઝાલ્ટેએ કહ્યું કે કિન્નર પણ મનુષ્ય જ છે. તેની પણ પોતાની જિંદગી છે. તો તેની સાથે લગ્ન કરવામાં મુશ્કેલી શું છે? નવું જીવન શરૂ કરતી વખતે સંજયે એક ગીતની કેટલીક લાઈનો પણ કહી હતી કે શ્નકુછ તો લોગ કહંગે લોકો કા કામ હૈ કહેનાલૃ. સંજયની માતા કહે છે કે તે સાંભળીને આશ્યર્ય થાય છે કે દીકરાએ કોઈ કિન્નર સાથે લગ્ન કર્યા છે. પરંતુ એ પણ સાચું છે કે બંનેએ સમાજની સામે એક નવો આદર્શ રજૂ કર્યો છે. હાલમાં આ લગ્ન ગામના લોકો માટે પણ ચર્ચાનો વિષય છે.

શિવલક્ષ્મી કહે છે,'ભારતીય સંસ્કૃતિમાં છોકરી લગ્ન પછી તેના પતિના ઘરે જાય છે. મેં કયારેય વિચાર્યું પણ નહોતું કે મને પુત્રવધૂ તરીકે સ્વીકારવામાં આવશે, પરંતુ અમારા બંનેના પરિવારમાં સમાજની તમામ રૂઢીચુસ્ત  પરંપરાઓ કરતાં વધુ છે. અમારા સંબંધને મહત્ત્વ આપ્યું. મારા નામના ખરા અર્થમાં મને લક્ષ્મી તરીકે સ્વીકાર્યો. તે બધું એક સ્વપ્ન જેવું છે. સ્વાભાવિક છે કે હું ખૂબ જ ખુશ છું.

(10:26 am IST)