Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પિતા કે હેવાન

ત્રણ માસુમ બાળકોના આઇસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવી : પુત્રનું મોત

નવી દિલ્હી,તા. ૧ : શુક્રવારે ઘરમાં થયેલા ઝઘડાને પગલુ માનખુર્દના એક માણસે પોતાના ત્રણ સંતાનોના આઇસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવી દીધી હતી. જેને પગલે એક બાળકનું મૃત્યુ થયું હતું.

મોહમ્મદ અલી નૌશાદે ૭ વર્ષની દીકરી અલીના, પાંચ વર્ષના દીકરા આલીશાન અને બે વર્ષના દીકરા અરમાનના આઇસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા નાખી દીધી હતી.

આ આઇસ્ક્રીમ ખાવાનો લીધે આલીશાનનું મૃત્યુ થયું હતું. પત્નીએ પોતાના પતિના કસ્તુતરની પોલીસને જાણ કરી એને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

(10:19 am IST)