Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જમ્મુ-કાશ્મીરઃ સોપોરમાં સીઆરપીએફની ટુકડી ઉપર ત્રાસવાદી હુમલોઃ ૧ જવાન શહીદઃ ત્રણને ઈજા થઈઃ

૧ ત્રાસવાદી પણ ઠારઃ સંઘર્ષમાં એક નાગરિક પણ ઘવાયો

જમ્મુ, તા. ૧ :. જમ્મુ-કાશ્મીરમાં સોપોરમાં સીઆરપીએફની ટુકડી પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં ૧ ત્રાસવાદીનું મોત થયુ છે અને એક જવાન શહીદ થયો છે. જ્યારે ૩ જવાનોને ઈજા થઈ છે. આ ઘટનામાં એક નાગરિકને ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

આજે સવારે ૭.૩૦ કલાકે સોપોરના મોડલ ટાઉનમા ત્રાસવાદીઓએ સીઆરપીએફની એક નાકાપાર્ટી ઉપર હુમલો કર્યો હતો. જેમાં ૧ જવાન શહીદ થયો હતો. હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવેલ છે અને ત્રાસવાદીઓની શોધખોળ થઈ રહી છે.

(11:18 am IST)