Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : નવા 2199 કેસ નોંધાયા : કુલ સંખ્યા 87,360 થઇ : વધુ 62 લોકોના મોત : મૃત્યુઆંક 2742 થયો

વધુ 2113 દર્દીઓ સાજા થતા કુલ 58,348 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

 

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ યથાવત છે.છેલ્લા 24 કલાકમાં નવા 2199 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 62ના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 87 હજાર 360 થઈ ગઈ છે. જ્યારે 2742 લોકોના મૃત્યુ થયા છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2113 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધી 58 હજાર 348 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 26 હજાર 270 છે. 16240 લોકો હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 9,585 RTPCR ટેસ્ટ થયા છે. જ્યારે 7,592 એન્ટીજેન ટેસ્ટ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી 5,31,752 ટેસ્ટ થયા છે.

(12:44 am IST)