Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સુશાંતસિંહને સલમાન ગેંગ તરફથી ધમકી મળતા ૫૦ જેટલાઙ્ગ સિમકાર્ડ બદલ્યાનો લોકગાયકનો દાવો

મિત્ર સંદીપ સિંહ જ સુશાંતના નવા સિમકાર્ડની માહિતી સલમાન ખાનની ગેંગને આપી દેતો

પટણા તા.૧: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે રોજબરોજ નવા-નવા દાવા થઇ રહ્યા છે. આ મામલે બોલીવૂડમાં નેપોટિઝમ જવાબદાર હોવાનો આરોપ થઇ રહ્યો છે. ત્યારે બિહારના જ લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંતસિંહના મોત અંગે ગંભીર આરોપ મૂકયો છે. તેણે દાવો કર્યો કે સુશાંતને એક મહિનાથી સલમાન ખાન ગેંગ તરફથી ધમકીઓ મળી રહી હતી. જેના કારણે સુશાંત પરેશાન રહેતો અને અને ચિંતામાં તેણે ૫૦ સિમ કાર્ડ બદલી નાંખ્યા હતા.

છૈલા બિહારીએ યુટયુબ પર વીડિયો મેસેજ મુકયો છે. જેમાં તે જણાવે છે કે સુશાંતસિંહ રાજપુત છેલ્લા કેટલાક મહિનાથી મળી રહેલી ધમકીઓને કારણે બહુ પરેશાન રહેતો હતો. આથી તે વારંવાર પોતાના મોબાઇલમાં સિમ કાર્ડ બદલી નાંખતો હતો. ધમકીઓ એટલી હતી કે સુશાંતે ૫૦ સિમકાર્ડ બદલી નાંખ્યા હતા. સુનિલઙ્ગછૈલા બિહારી અહિ  અટકયો નથી, તેણે સુશાંતના મિત્ર સંદીપસિંહ પર પણ આરોપ મૂકયો છે કેસંદીપસિંહ જ સુશાંતના નવા સિમકાર્ડની માહિતી સલમાન ખાનની ગેંગને આપી દેતો હતો! ત્યાર બાદ સલમાન ખાન પોતાના ગુંડાઓથી સુશાંતને ધમકી અપાવતો હતો. આ કારણે જ સુશાંતે આત્મહત્યા કરી લીધી. હવે આ કેસની સીબીઆઇ તપાસ થવી જોઇએ. સુનીલ છૈલાએ જણાવ્યું કે સંદીપ સિંહ જેવાને લાગે છે કે જયાં સુધી સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર વગેરેનો સાથ નહીં મળે તો કંઇ કરી શકીશું નહીં. તેથી તે સુશાંત સિંહની બધી માહિતી સલમાન ખાન ગેંગને પહોંચાડી દેતો હતો.

સુનીલ જણાવે છે કે તે એવું ઇચ્છે છે કે ઇન્ડસ્ટ્રીમાં બીજો કોઇ સુશાંત સિંહ ન બને. હવે બોલીવૂડમાં બહારથી આવનારાએ એકજૂટ થવાની જરૂર છે અને નેપોટિઝમને પ્રોત્સાહન આપનારા સામે અવાજ ઊઠાવવો પડશે. એક-બે લોકોના વિરોધથી ઙ્ગએક-બે લોકોના વિરોધથી વાત નહીં બને. સુનીલે વધુમાં જણાવ્યું કે ગોવિંદા, વિવેક ઓબેરોય જેવા સ્ટાર્સને પણ નેપોટિઝમનો શિકાર થવું પડ્યું છે. ઉપરાંત દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ કહી ચૂકયા છે કે બોલીવૂડમાં ચાપલુસી કરવી પડે છે.

(1:05 pm IST)