Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સચ્ચા સૌદાનાં વડા ગૂરમીત રામ રહિમે પોતાની પૈરોલ અરજી પાછી ખેંચી લીધી

 

રોહતક :દુષ્કર્મ અને હત્યાનાં આરોપમાં જેલમાં સજા કાપી રહેલાડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે પોતાની અરજી પરત ખેંચી છે. ડેરા સચ્ચા સૌદાનાં સંત રામ રહિમ રોહતકની જેલમાં બંધ છે. રામ રહિમ સિંહે બિનશરતી પોતાની પૈરોલ અરજી પરત ખેંચી છે.

    ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહિમ સિંહે ખેતીવાડી કરવા માટે 42 દિવસની પેરોલ અરજી કરી હતી

  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્થાનક પ્રશાસન દ્વારા રામ રહિમનાં પૈરોલ અરજી મામલે તેને પૈરોલ પર ન છોડવાનાં પક્ષમાં હતાં.

    સિરસાની આજુબાજુનાં ગામોમાં રહેતા સ્થાનિક લોકોએ જીલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુરમીત રામ રહિમ સહિં જેલમાંથી બહાર આવશે તો પંચકૂલામાં ફરી હિંસા ભડકી ઉઠશે. તેમજ તંગદિલીભર્યુ વાતાવરણ બનશે. સ્થાનિક લોકોની માગ હતી કે, ગુરમીત રામ રહિમ સિંહને પેરોલ આપવામાં ન આવે.

(9:29 pm IST)