Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોના મહાસંગ્રામઃ ઉતરાખંડમાં ૨૩ નવા કોરોનાના દર્દી નોંધાયાઃ બધા સંક્રમિત મુંબઇથી પરત આવ્યા છે

દેહરાદૂનઃ પહાડી રાજય ઉતરાખંડમાં કોરોના સંક્રમણ સતત ફેલાઇ રહ્યો છે. પ્રદેશમાં અત્યારે કોરોના દર્દીઓની સંખ્યા ૯૦૦ને પાર કરી ગઇ છે ઉતરાખંડમાં સોમવારના કોરોનાના ૨૩ નવા દર્દી નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૯૨૯ થઇ ગઇ બધા સંક્રમિતો મુંબઇથી પરત આવ્યા છે.

 રાજયમા કોરોનાના ૭૨૦ એકટિવ કેસ છે કોરોના વાયરસથી છ લોકોના મોત થયા છે. બધા નવા કેસ ચંપાવત અને હરિહાર જિલ્લાના છે.

(10:08 pm IST)