Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

લોકોને મનમોહનસિંહ જેવા શિક્ષિત વડાપ્રધાનની કમી મહેસુસ થઇ રહી છે : કેજરીવાલનો મોદીને ટોણો

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે આજે લોકોને મનમોહનસિંહ જેવા શિક્ષિત વડાપ્રધાનની કમી મહેસુસ થઈ રહી છે. કેજરીવાલે નબળા પડી રહેલા રૂપિયાના લઈને ટ્વીટ કરતા લખ્યું હતું કે" લોકોને આજે મનમોહનસિંહ જેવા શિક્ષિત વડાપ્રધાનની કમી મહેસુસ થઈ રહી છે. લોકોને લાગી રહ્યું છે કે વડાપ્રધાન ભણેલા હોવા જોઈએ" આમ પણ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ હંમેશા પીએમ મોદીની અભ્યાસ અને યોગ્યતા પર સવાલ ઉઠાવતા રહ્યાં છે.

   સીએમ કેજરીવાલે આ ઉપરાંત પેટાચુંટણીમાં થયેલી ભાજપની કારમી હાર પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે આ પરિણામો પરથી જ લાગે છે કે લોકો મોદી સરકારથી નારાજ છે અને તેને બદલવા માંગે છે. લોકો પહેલા કહેતા હતા કે મોદી સરકાર વિકલ્પ હતો પરંતુ હવે કહે છે કે મોદી સરકાર વિકલ્પ નથી અને તેને દુર કરવાનું ખી રહ્યા છે.

(1:37 pm IST)