Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

દિલ્હીને 490 ટન ઓક્સિજન કોઈ પણ હાલતમાં મળવો જોઈએ: હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

કેટલીય હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત:માત્ર સપ્લાય નહીં થવાને કારણે અછત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં ચાલી રહેલી ઓક્સિજનની અછત પર સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપતાં કહ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં દિલ્હીને એના ક્વોટાનો ઓક્સિજન સપ્લાય મળે. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીને 490 ટન ઓક્સિજન કોઈ પણ હાલતમાં મળવો જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો છતાં દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ ગંભીર બની રહ્યું છે. આજે ઓક્સિજનની અછતને પગલે બત્રા હોસ્પિટલમાં 12 દર્દીઓનાં મોત થયાં હતા. આ હોસ્પિટલમાં આશરે 300 દર્દીઓ એડમિટ છે, જે ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે, એમ અહીંના ડિરેક્ટરે કહ્યું હતું.

જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું હતું કેટલીય હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે અને આ અછત માત્ર સપ્લાય નહીં થવાને કારણે છે. કોર્ટે કેટલીય સુનાવણીમાં કેન્દ્રને કહી ચૂકી ચે કે ઓક્સિજન હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવો. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે દિલ્હીને 490 ટન ઓક્સિજન નહીં મળ્યો તો સંભવ છે કે કોર્ટના અવમાનનાની કાર્યવાહી થવાની શક્યતા છે. દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની કેટલીક મોટી હોસ્પિટલોમાં ઓક્સિજનનો સપ્લાય સતત નહીં હોવાને કારણે ICUમાં બેડની સંખ્યા ઓછી થશે, જેને કારણે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

(7:15 pm IST)