Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વડાપ્રધાન મોદી અચાનક સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ પહોંચ્યા : માથુ ટેકવ્યું

પીએમ મોદીએ પ્રાર્થના કરી અને થોડોક સમય ત્યાં જ વિતાવ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે અચાનક ગુરુદ્વારા પહોંચ્યા હતા ગુરુદ્વારા પહોંચ્યા બાદ પીએમ મોદીએ પ્રાર્થના કરી અને થોડોક સમય ત્યાં જ વિતાવ્યો હતો. પીએમ મોદી અચાનક ગુરુદ્વારા પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોઈ વિશેષ સુરક્ષા નહોંતી દેખાઈ અને કોઈ વિશેષ સુરક્ષા માર્ગથી ગુરુદ્વારા પહોંચ્યા હતા.

શીખના નૌર્વે ગુરુ શ્રી ગુરુ તેજ બહાદુરના 400માં પ્રકાશ પર્વના સમાપન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી  મોદી આજે સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ પહોંચ્યા હતા. પહેલા એા સમાચાર આવ્યા હતા કે ગુરુ શ્રી ગુરુ તેજ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે મોદી શ્રી ગુરુ તેજ બહાદુરના સ્મારકનું લોકાર્પણ કરશે.

(10:04 am IST)