Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉનના પાલન માટે યમરાજને ઉતારી દેવાયા

આંધ્રપ્રદેશમાં નવો પ્રયોગ કરાયો

કુરનુલ, તા. ૧ : કોરોના વાયરસથી બચાવ માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સૌથી અસરકારક ઉપાય તરીકે છે. આંધ્રપ્રદેશના કુરનુલમાં લોકોને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે યમરાજને માર્ગો પર ઉતારવામાં આવ્યા છે. યમરાજ, ચિત્રગુપ્ત અને કોરોનાની વેષભુષામાં સજાયેલા કલાકારો સ્થાનિક પોલીસની સાથે મળીને લોકડાઉનનું પાલન કરવા માટે કહી રહ્યા છે. સાથે સાથે ચેતવણી પણ આપી રહ્યા છે કે, ઘરની બહાર નિકળશો તો યમરાજ ઉપાડીને લઇ જશે. આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લાના ધોને વિસ્તારમાં યમરાજ અને ચિત્રગુપ્ત માર્ગો પર જોઈ શકાય છે. લોકોને સમજાવવા માટે આ પહેલા પોલીસે જ કરી છે.

(7:34 pm IST)