Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મહારાષ્ટ્રમાં વધુ ૧૮ કેસઃ કુલ ૩૨૦: સીએસટીના પોલીસ કોન્સ્ટેબલ સંક્રમિત

દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૬૦૦: ૪૭ મોત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના મહારાષ્ટ્રમાં ૩૨૦ અને દેશભરમાં ૧૬૦૦નો આંક પાર કરી ગયો છે. જયારે કુલ ૪૭ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૧૮ નવા કેસ આવ્યા છે. જેમાં છત્રપતિ શિવાજી ટર્મીનલ ખાતે રેલ્વે પોલીસનામ કોન્સ્ટેબલ પણ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ કોન્સ્ટેબલના સંપર્કમાં ૧૫ થી ૨૭ માર્ચ દરમિયાન ૩૨ જેટલા પોલીસ કર્મીઓ આવેલ. રેલ્વે પોલીસે જણાવેલ કે અત્યાર સુધીમાં ૧૧ લોકોને કવોરનટાઈન કરાયા છે. બાકીના લોકોની પણ જલ્દીથી તપાસ કરી કવોરનટાઈન કરાશે. જયારે સામાન્ય લોકોની ઓળખ કરાઈ રહી છે.

(3:38 pm IST)