Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તબલિગી જમાતે કર્યો છે તાલિબાની ગુન્હો :એનો ગુનો માફી લાયક નથી

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની તીખી પ્રતિક્રિયા

નવી દિલ્હી : કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હોવા છતાં તબલિગી જમાત દ્વારા નિઝામુદ્દીન મરકઝમાં ગતિવિધિઓ કરવાને લઇને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તીખી પ્રતિક્રિયા આપી છે. એમને કહ્યું છે કે તબલીગી જમાતે તાબિલાની ગુનો કર્યો છે અને એનો ગુનો માફી લાયક નથી

તબલિગી જમાતે નિઝામુદ્દીન મરકજની ગતિવિધિઓમાં સામેલ થયેલા ઘણા લોકોને કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થવા પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તબલિગી જમાત પર આરોપ લાગી રહ્યો છે કે એની બેદરકારીના કારણે સેંકડો લોકોમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો પેદા થઇ ગયો છે. નકવીએ તબલિગી જમાતની ટીકા કરતા કહ્યું કે એને તાલિબાની ગુનો કર્યો છે અને એના પાપ માફીના લાયક નથી.

(12:00 am IST)