Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

બદ્રીનાથમાં ભારે બરફવર્ષાઃ ધર્મશાળા અને ભવનને ભારે નુકશાન

મંદિર આસપાસ હાલ ૭ ફૂટની બરફની ચાદરઃ વધુ નુકશાન ન થાયે તે માટે કામગીરી હાથ ધરાઈ : મંદિર સમિતીએ નુકશાન અંગે જાણકારી મેળવી

નવીદિલ્‍હી,તા.૧: તાજેતરમાં  બદ્રીનાથ-કેદારનાથ મંંદિર આસપાસ થયેલી ભારે બરફવર્ષાના કારણે મંદિરની ધમર્શાળા અને ભવનને ભારે નુકસાન થયુ છે આ અંગે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતીએ નુકસાન અંગે જાણકારી મેળવી  તે અંગે કાર્યવાહી હાથ ધરી છે.હાલમા પણ બરફની સાત ફૂટ બરફની ચાદર છવાઈ જવા પામી છે.

મંદિર સમિતિની એક ટીમે બદ્રીનાથ-કેદારનાથ મંદિરની આસપાસ તેમજ ભવન અને ધર્મશાળાને આ બરફવર્ષાથી કેટલુ નુકસાન થયુ તે અંગે જાણકારી મેળવી હતી. જેમા સમિતિની ટીમે મંદિર પરિસર, વિશ્રામગૃહ ્ન ેબસ મથક તેમજ આસપાસના અન્ય વિસ્તારનુ નિરીક્ષણ કર્યુ હતુ. જોેકે આ દરમિયાન મંદિર કરતા    ધર્મશાળા તેમજ ભવનને વ્યાપક નુકસાન થયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ હાલમા પણ મંદિર આસપાસ સાત ફુટ બરફ છે તેથી મદિર તરફથી સલામતીની પગલા લેવામા આવી રહ્યા છે, તેમજ વધુ કોઈ નુકસાન ન થાય તે માટે કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

(4:45 pm IST)