Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગોરક્ષનાથ મંદિર હુમલો:લખનૌ કોર્ટે અહમદ મુર્તઝા અબ્બાસીને ફાંસીની સજા સંભળાવી: 44,000 રૂપિયાનો દંડ પણ કર્યો

લખનૌ :લખનૌની એક વિશેષ અદાલતે સોમવારે એપ્રિલ 2022ના ગોરક્ષનાથ મંદિર હુમલાના કેસમાં દોષિત અહમદ મુર્તઝા અબ્બાસીને મૃત્યુદંડની સજા સંભળાવી અને 44,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

આ વ્યક્તિએ પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC)ના કોન્સ્ટેબલ અનિલ કુમાર પાસવાન પર હુમલો કરીને તેનું હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય કોન્સ્ટેબલો પાસવાનના બચાવમાં આવ્યા ત્યારે તેમણે તેમના પર દાતરડા વડે હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા
 

એનડીટીવી અનુસાર, વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ ગોરક્ષનાથ મંદિરમાં પ્રવેશ કરતી વખતે બે સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવા અને ઘાયલ કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 121 (ભારત સરકાર સામે યુદ્ધ છેડવું) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ અબ્બાસીને દોષિત ઠેરવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:03 pm IST)