Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આજથી કર્ફયુનો અમલ રાત્રે ૧૦થી સવારે ૬ સુધી ઢીલ મુકાતા વેપારીઓ-રેસ્ટોરન્ટ-હોટલ માલિકોને રાહત

રાજકોટઃ ગુજરાતના રાજકોટ સહિત ૪ મહાનગરોમાં રાત્રિ કર્ફયુના અમલમાં આજથી રાજ્ય સરકારે ઢીલ આપી તેનો અમલ થઇ રહ્યો છે. આજથી ચારેય મહાનગરોમાં રાત્રિના ૯ને બદલે ૧૦ વાગ્યાથી સવારે ૬ સુધીનો કર્ફયુ રહેશે. કર્ફયુમાં ૧ કલાકની છૂટછાટ-રાહત જાહેર કરાતા વેપારીઓ-હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને રાહત થઇ છે. આ ઉપરાંત નાના ધંધાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અત્રે એ નોંધનીય છે કે, કર્ફયુમાં છૂટછાટ આપવા ચેમ્બર સહિતના સંગઠનોએ માંગણી કરી હતી, જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી આજથી ઢીલ આપવાની જાહેરાત કરી હતી. રાત્રિના ૧૦થી સવારના ૬ સુધીના કર્ફયુનો ચૂસ્ત અમલ કરાવવા પોલીસ ખડેપગે રહેશે.

(3:48 pm IST)