Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ભાજપના સંગઠનમાં ફેરફાર : વી, સતીષ દિલ્હીના સંગઠક નિયુક્ત : સુદાનસિંહને ચંદીગઢ તેમજ હરિયાણા ,પંજાબ અને હિમાચલ તેમજ શિવપ્રસાદને ભોપાલ ઉપરાંત છત્તીસગઢ,આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ તેની સંગઠનાત્મક નિયુક્તિમાં બદલાવ કર્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ વી સતીશને દિલ્હીના સંગઠક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સુદાનસિંહને ચંડીગઢના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચંડીગઢ ઉપરાંત તેમને હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશની પણ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શિવપ્રકાશને ભોપાલના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ભોપાલ ઉપરાંત શિવપ્રકાશને વિશેષ છતીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમબંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેયની નિયુક્તિ તત્કાલ પ્રભાવથી જ લાગુ કરવામાં આવી છે

(11:38 pm IST)