દેશ-વિદેશ
News of Wednesday, 31st October 2018

કાબુલમાં જેલની બહાર આત્મઘાતી હુમલો: સાત લોકોના કમકમાટી ભર્યા મોત

નવી દિલ્હી: રાજધાની કાબુલમાં આવેલ એક દેશના સૌથી મોટા કારાગારની બહાર થયેલ આત્મઘાતી હુમલામાં સાત લોકોના મોત નિપજ્યા છે મારનાર લોકોમાં સુરક્ષાકર્મી અને જેલકર્મીનો  પણ સમાવેશ થાય છે.ગૃહ મંત્રાલયના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી  રહ્યું  છે કે બુધવારના રોજ હુમલાખોરોએ જેલમાં કામ કરનાર કર્મચારીઓને લઈને જઈ રહેલ એક બસને નિશાન બનાવ્યું છે કહેવાય રહ્યું છે કે પુલ-એ-ચરખી જેલમાં સેકેન્ડો કેદીઓ બંધ હતા જેમાં મોટી સંખ્યામાં તાલિબાનના લોકોનો સમાવેશ થાય છે.

(5:52 pm IST)