મુસાફરી દરમિયાન બેચેની અને ટેન્શનમાંથી મુકિત મેળવવા કરો આ ઉપાયો
આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં ૩ દોષ હોય છે. વાત, પિત્ત અને કફ આપણી આજુબાજુના વાતાવરણથી 'વાત' ઉપર અસર પડી શકે છે. આજ કારણે આપણે મુસાફરી કરીએ એ દરમિયાન સાંધાના દુખાવા, ઊંધ ન આવવી, કબજિયાત, બેચેની જેવી અસર અનુભવીએ છીએ.
આથી આજે અમે એવી કેટલીક આયુર્વેદિક ટીપ્સ લાવ્યા છીએ જે તમને મુસાફરી દરમિયાન તનાવ મુકત રહેવા મદદરૂપ થશે.
મસાજ- તલના તેલથી કરેલો થોડો મસાજ તમને તનાવમુકત બનાવી દેશે. મસાજ પછી શરીર ઉપર રહેલા તેલને કપડાંની મદદથી નીકાળી દો. અને એ પછી નાહિ લો.
ઠંડા પાણીથી મોઢું સાફ કરો- દર એક કલાકે ઠંડા પાણીની છાટ મોઢા ઉપર મારવાથી એકદમ ફ્રેશ ફિલ થાય છે જે તનાવથી દૂર રહેવામાં મદદ કરે છે.
ગુલાબજળથી મોં સાફ કરો- ગુલાબજળને રૂના કપડાં ઉપર લઈ તેને આંખો ઉપર મૂકવું થોડા સમય સુધી આવી રીતે આંખો બંધ રાખીને બેસવાથી શરીરને ખૂબ જ ઠંડક તેમજ આરામ મળે છે.
મુસાફરી કરતી વખતે દવા લેવાનું ટાળો- મુસાફરી દરમિયાન માનસિક હાજરી ખૂબ જ જરૂરી છે આથી મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં આવી દવાઓથી દૂર રહો.