દેશ-વિદેશ
News of Monday, 30th November 2020

શ્રીલંકાની જેલમાં તોફાન ફાટી નીકળતા આંઠ કેદીઓના મોત :37 ઘાયલ

નવી દિલ્હી: રવિવારે શ્રીલંકાની રાજધાની કોલંબોની બહાર આવેલી એક જેલમાં આ તોફાન ફાટી નીકળ્યું હતું. માહિતી અનુસાર, ઓછામાં ઓછા આઠ કેદીઓ માર્યા ગયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. એવું જાણવા મળ્યું છે કે કેટલાક કેદીઓએ જેલનો દરવાજો ખોલવાનો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી અધિકારીઓએ બળપ્રયોગ કર્યો હતો. ત્યારે જ તોફાન શરૂ થયું હતું.

              પોલીસ પ્રવક્તા અજીત રોહાનાએ જણાવ્યું હતું કે કોલંબોથી લગભગ 15 કિલોમીટર ઉત્તરમાં આવેલી મહારા જેલમાં કેદીઓએ અશાંતિ ફેલાવી હતી, ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પગલાં લીધા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીલંકાની ભીડભાડવાળી જેલોમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ મહામારીને કારણે કેદીઓમાં અશાંતિ વધી રહી છે. કેદીઓએ તાજેતરના અઠવાડિયાઓમાં કેટલીક જેલોમાં વિરોધ નોંધાવ્યો છે.

(5:30 pm IST)