દુબઇમાં આજથી બીચ-બગીચા પણ ખૂલશે
મ્યુઝીયમ ખૂલશે પહેલી તારીખથી
દુબઇ, તા. ૩૦ : દુબઇના બીચ અને બગીચાઓ આજથી ફરીથી ચાલુ થઇ જશે. જયારે પહેલી જૂનથી શહેરના મ્યુઝીયમો પણ ખૂલી જશે.
દુબઇ કલ્ચર એન્ડ આર્ટ ઓથોરીટીએ કહ્યું છે કે મ્યુઝીયમોને તબક્કાવાર ચાલુ કરાશે અને ફકત પ૦ ટકા મુલાકાતીઓને પ્રવેશની મંજૂરી અપાશે.
બુધવારથી આર્થિક ગતિવિધીઓ સવારના ૬થી રાત્રીના ૧૧ સુધી ચાલુ કરવાના દુબઇ સરકારના નિર્ણય પછી આ જાહેરાત કરવામાં આવી છે.
અલ શિંદાધા અને એતીહાદ મ્યુઝીયમનો સમય રોજ સવારના ૧૦થી પનો જયારે કોઇન મ્યુઝીયમ સવારના ૮થી બપોરના બે વાગ્યા સુધી રવિવારથી ગુરૂવાર દરમ્યાન ખુલ્લુ રહેશે. આ બધા મ્યુઝીયમોમાં ૧રથી પ૯ વર્ષની વય ધરાવતા મુલાકાતીઓને જ પ્રવેશ મળી શકશે. અધિકારીઓ અનુસાર પાંચથી વધુ વ્યકિતના ગ્રુપને રોકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ઉજવણી અને સમારંભો પર પ્રતિબંધો ચાલુ રહેશે.