News of Friday, 29th June 2018
ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળી ખાવાથી ભયંકર બિમારીમાં પણ મળી શકશે લાભ
નવી દિલ્હી ;ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીમાં સલ્ફર, અમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોવાથી સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારી છે. રોજ સલાડમાં ડુંગળી ખાવાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ અને એનિમિયાની જેવી સમસ્યાઓથી છૂટકારો મળે. તેની સાથે જ ડુંગળીમાં કેલિસિન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, B અને C ભરપૂર માત્રામાં હોય તે નેચરલ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે.
(12:21 am IST)