પાકિસ્તાનમાં કોરોનાનો કહેર:એકજ દિવસમાં 150થી પણ વધુ લોકોના મોત
નવી દિલ્હી: પાકિસ્તાનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલય મુજબ, ગત 24 કલાકમાં 201 લોકોના મોત કોવિડ-19ના કારણ થયા, તે સાથે અત્યાર સુધીમાં 17,530 લોકોન મોત થઈ ચૂક્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, 5,214 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનમાં ગત 24 કલાકમાં 5,292 નવા કેસ નોંધાયા છે, તે સાથે કુલ કેસોની સંખ્યા 8,10,231 થઈ ગઈ છે.
આંકડા મુજબ, આ પહેલા 23 એપ્રિલે પાકિસ્તાનમાં સૌથી વધુ 157 લોકોના મોત એક દિવસમાં સંક્રમણના કારણે થાય હતા, જ્યારે કે, ગત વર્ષે 20 જૂને 153 લોકોએ મહામારીમાં જીવ ગુમાવ્યો હતો. જોકે, નવો રેકોર્ડ એક સપ્તાહમાં બન્યો છે, જે મહામારી કેટલીક ઘાતક છે તે દશર્વિે છે. પાકિસ્તાનમાં હાલમાં 88,207 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે કે, 7,04,494 દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે.