News of Wednesday, 28th April 2021
થાઈલેન્ડમાં એક દિવસમાં કોરોનાના કારણોસર 19ના મોત
નવી દિલ્હી:સેંટર ફોર કોવીડ-19 સિચ્યુએશન એડમિનિસ્ટ્રેશને મંગળવારના રોજ જણાવ્યું છે કે થાઈલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં 15 કોવીડ સંબંધિત 19 લોકોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે આ અત્યાર સુધીમાં થનાર સૌથી વધારે મોતનો આંકડો છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વર્ષે એપ્રિલમાં ત્રીજી લહેર શરૂ થવા બાદ રાષ્ટ્રીય આંકડો 163એ પહોંચી ગયો છે જેમાં 69 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તોસીને જણાવ્યું છે કે કુલ 2179 નવા કોવીડ-19ની ઘટના મંગળવારના રોજ દાખલ કરવામાં આવી છે. જેમાં 2174 ઘરેલુ સંક્રમિત તેમજ 5 બહારના કેસ હોવાનું માલુમ પડી રહ્યું છે.
(5:32 pm IST)