દેશ-વિદેશ
News of Wednesday, 28th April 2021

પાકિસ્તાનના પીએમએ વાયરસથી પ્રભાવતી શહેરોમાં લોકડાઉન લગાવવાનો આપ્યો સંકેત

નવી દિલ્હી:પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મંગળવારના રોજ એક સંકેત આપ્યો છે કે સરકાર કોરોના વાયરસના કારણોસર પ્રભાવિત શહેરમાં સંપૂર્ણપણે લોકડાઉન લગાવી શકે છે પરંતુ લોકડાઉન દરમ્યાન ખાવા-પીવાની વસ્તુમાં કોઈ પણ પ્રકારની ઉણપ આવે તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે તેવું કહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અઠવાડિયાની કેબિનેટ બેઠક બાદ એક સ્થાનિક પ્રેસ કૉંફરંસમાં સંઘીય સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો છે કે જો તે સંપૂર્ણ લોકડાઉન કરે તો ખાદ્ય આપૂર્તિમાં સુધાર કરવો આવશ્યક છે.

(5:32 pm IST)