News of Thursday, 28th February 2019
કાયરોમાં ટ્રેન દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને 20એ પહોંચ્યો
નવી દિલ્હી: કાયરોમાં બુધવારના રોજ થયેલ ટ્રેન દુર્ઘટનામાં મૃતક આંક વધીને 20એ પહોંચ્યો છે. આ સિવાય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ફ્યુલ ટેંકમાં આગ લાગવાના કારણે આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે અને ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. પર્યટન મંત્રી હિશરમ અરાફતે આ ઘટના પછી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આગ લાગવાની ઘટના બનતા જ લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા હતા.
(7:28 pm IST)