News of Wednesday, 27th November 2019
અલ્બાનિયામાં ભૂકંપના ઝટકાના કારણોસર મ્રુતકઆંક વધીને 20એ પહોંચ્યો
નવી દિલ્હી: અલ્બાનિયાની રાજધાની તિરાનામાં આવેલ ભૂકંપના ઝટકાના કારણોસર ભારે નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે મૃતકોની સંખ્યા વધીને 20એ પહોંચી ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સીદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. આ ભૂકંપના જટકાની તીવ્રતા 6.4ની હતી.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણોસર 20 લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો તેમજ 600થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(5:43 pm IST)