News of Friday, 27th September 2019
૭૦ દિવસ સુધી ભૂખ હડતાળ કરનારા ભારતીયને યુએસ અટકાયતમાંથી મુકત કરવામાં આવ્યો.
અમેરિકામાં શરણની માંગ કરતા ૭૦ દિવસો સુધી ભૂખ હડતાળ કરવાવાળા બે ભારતીયોમાંથી એક ૩૩ વર્ષીય અજયકુમારને એક વર્ષની અટકાયત પછી મુકત કરી દેવામા આવેલ છે.
અજય એલ પાસો ડિટેંશન પ્રોસેસિંગ સેન્ટરમાં હતા અજય અને તેમના સાથી ગુરજંતસિંહના જણાવ્યા મુજબ રાજનૈતિક ઉત્પીડનને લઇ તે ભારતથી ભાગી આવેલ. બંને જૂન ર૦૧૮ મા મેકિસકોના રસ્તે યૂએસમાં દાખલ થયા હતા.
(10:11 pm IST)