દેશ-વિદેશ
News of Friday, 27th March 2020

અફઘાનિસ્તાન સરકારે કોરોના વાયરસની મહામારી વચ્ચે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારી ઝડપથી ફેલાવાના કારણોસર અફઘાનિસ્તના સરકાર કેદીઓને પણ છોડી દેશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.અફઘાનિસ્તાનના રાષ્ટ્ર્પતિ અશરફ ગનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અધિકારીક ઓર્ડરના આધાર પર અફઘાન સરકારે જણાવ્યું છે કે આવનાર 10 દિવસમાં 10હજારથી પણ વધારે કેદીઓને મુક્ત કરવામાં આવશે.

             જેલના જનરલ ડાયરેક્ટોરેટના અધ્યક્ષ અહમદ રાશિદ તોતાખીલે જણાવ્યું છે કે જે કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે તે સમાજ માટે કોઈ પણ પ્રકારનો ભય નથી જે કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે તેમને નાના નાના ગુનાહ કર્યા છે અને તે સમાજ માટે કોઈ મુસીબતરૂપ સાબિત નહીં થાય.

(6:20 pm IST)