દેશ-વિદેશ
News of Friday, 27th March 2020

ચીનમાં સ્વસ્થ્ય થયેલ લોકોમાં ફરીથી જોવા મળ્યા કોરોનના લક્ષણો

નવી દિલ્હી:ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત 537 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ ગયા પછી તેમને રજા આપી દેવામાં આવી હતી પરંતુ સ્વસ્થ થયેલ દરદીઓમાં ફરીથી કોરોનાના લક્ષણો મળી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

          નેશનલ હેલ્થ કમિશને શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનમાં ગુરુવારના રોજ રાત્રીના સમયે કોરોના વાયરસથી સંક્રમિત થયેલ આંકડો 81340નો છે જેમાં 3292 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ જે લોકો સ્વસ્થ થઇ ગયા હતા તેમનામાં ફરીથી કોરોનાના લક્ષણો મળી આવ્યા હોવાની માહિતીથી લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે.

(6:19 pm IST)