દેશ-વિદેશ
News of Thursday, 27th February 2020

સીરિયાએ વિદ્રોહીઓ સહીત જેહાદીઓ પર કર્યો જીવલેણ હુમલો:શાળાના બાળકો સહીત 20 લોકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: સીરીયાઈ ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઈટ્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, સીરીઆઈ શાસને વિદ્રોહી તથા જેહાદીઓના કબ્જાવાળા ઠેકાણા પર હુમલો કર્યો છે. જેમાં લગભગ 20 લોકો કે, જેઓ સામાન્ય નાગરિકો છે, તેમના મોત થયા છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોના વિસ્તારમાં સ્કૂલ પણ સામેલ છે.

ઈદબિલના ઉત્તરમાં સ્થિત મારાત મિસરીનમાં ઓછામાં ઓછા 6 બાળકો સહિત 10 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પૂર્વિય શહેર બિનિશમાં કરેલા હુમલામાં એક મા અને 2 બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. જો કે, એક બાળસંરક્ષણ સંસ્થાએ સ્કૂલના બાળકોને છોડી દેવા આજીજી કરી હતી.

(6:24 pm IST)