દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

બ્રાઝીલમાં જેલમાં આગ લાગવાના કારણે નવ નાબાલિકના મોત

નવી દિલ્હી: બ્રાજિલના ગોઈનીયા શહેરમાં આવેલ એક જેલમાં કેદીઓએ એક ઘટનામાં આગ લગાવી દેતા અફડાતફડી મચી જવા પામી છે અને ત્યારબાદ આ આગમાં નવ નાબાલીકોના મોત નિપજ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 13થી17 વર્ષના નાબાલીકો અસ્થાઈ રીતે આ જેલમાં રહેતા હોય છે અને આ બબાલ ત્યારે મચ્યો હતો જ્યારે થોડા ઘણા કેદીઓને એક કોટડી  માંથી બીજી કોટડીમાં લઇ જવામાં આવી રહ્યા હતા.

(6:56 pm IST)