દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

પાકિસ્તાનમાં લૂ નો આતંક: પ્રસિદ્ધ તીર્થ સ્થળ પર 15ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક પરિશુદ્ધ તીર્થ સ્થળ પર વાર્ષિક ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવા દરમ્યાન લૂ ના કારણે ઓછામાં ઓછા 15 લોકો મોતને ભેટ્યા છે સહવાન ક્ષેત્રની કેન્દ્રના પ્રભારી સરવર શેખે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તીર્થ સ્થળ પર શ્રદ્ધાળુઓના મૃત્યુનો આંકડો 15 પહોંચી ગયો છે.છેલ્લા ચાર દિવસથી અહીંયા ગરમીનો ખુબજ વધારે પ્રકોપ જોવા મળી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ય થઇ રહી છે.

(6:45 pm IST)