વીર જસરાજ દાદા મંડળ મુંબઈના સભ્યોએ સાગો ગણપતિ દર્શન કર્યા
મુંબઈ : સાબુદાણાના ગણપતિ રંગોળી રૂપે શ્રી મોહનભાઇ દોડેચા દ્વારા છેલ્લા 61 વર્ષથી બનાવવામાં આવે છે.જેની આઠથી વધારે વખત રેકોર્ડ બુકમાં નોંધ લેવાઈ છે.મુંબઈના મુલુંડ પશ્ચિમમાં તિરુમાલા હેબિટેટસમા આવા સાગો ગણપતિ દર્શનનો લાભ જસરાજ દાદા મંડળના સભ્યોએ તા.24- 09-21 ના રોજ લીધો હતો.પ્રમુખ જગજીવનભાઇ તથા ઉપપ્રમુખો હીરાલાલભાઈ મૃગ અને દેવેન્દ્રભાઈ અનમ ,મહામંત્રી લાલજી સર ,સભ્યો શાંતિલાલભાઈ ઠક્કર ,( તંત્રી ગુર્જર ભૂમિ ) ,ભરતભાઈ ગંગેરીયા ,યામિનીબેન જોશી ,ભારતીબેન આઇયા ,પ્રીતિ આયા ,મુલરાજભાઈ આયા ,ભારતી દૈયા ,રીટા ઠક્કરે શ્લોક અને ગણરાયા ભજન સાથે દર્શન કરી રંગોળી રચયિતા મોહનભાઇ ડોડેચા ,દયારામભાઈ હિન્દુસોતા ,ભુપેશભાઈ જોશી ,ભરતભાઈ ડોડેચાને પ્રશંસા પુષ્પો અર્પણ કર્યા હતા.આ દર્શન વિધિ માટે કોર્ડીનેશન લાલજી સરે કર્યું હતું.તેવું લાલજી સરની યાદી જણાવે છે.